
મિથુન
શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ મિથુન રાશિના લોકો પર શનિની ઢૈયા ફરીથી શરૂ થઈ ગઈ છે. તેમણે જાન્યુઆરી 2023 સુધી વાદ-વિવાદ અને તણાવથી દૂર રહેવુ જોઈએ. આ દરમિયાન તેમના ખર્ચમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન અકસ્માતો ટાળો. ગાડી ધ્યાનથી ચલાવો.

તુલા
તુલા રાશિના જાતકો માટે પણ શનિનુ ગોચર સારુ નથી. શનિના મકર રાશિમાં પ્રવેશ સાથે જ તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થઈ ગઈ છે. આ લોકોને માનસિક તણાવ થઈ શકે છે. આ સિવાય શારીરિક પીડાનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી તણાવ ટાળવા માટે હકારાત્મક રહેવાનો પ્રયાસ કરો.

ધન
શનિનુ રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સારુ નથી. આ રાશિ પર શનિની સાડાસાતી ફરી શરૂ થઈ છે. તેથી 6 મહિના સુધી આ લોકોને ફરીથી શનિના પ્રકોપનો સામનો કરવો પડશે. ધનહાનિ થઈ શકે છે, પ્રતિષ્ઠામાં ઘટાડો થશે. વિવાદમાં ફસાઈ શકો છો.